સી.આર.સી. તરખંડા
તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ સી.આર.સી. તરખંંડા ખાતે સી.આર.સી. સમાવિષ્ટ ૧૨(બાર) શાળઓના પ્રજ્ઞા શિક્ષકોની માર્ગદર્શન મિટિંગ રાખવામાં આવી.
જેમાં તમામ શિક્ષક ભાઇઓ-બહેનો હાજર રહ્યા તેમજ નવીન પ્રજ્ઞા અભિગમ અંતર્ગત મૂંઝવતા પ્રશ્નો અને અભિગમને નવી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત નવીન પ્રજ્ઞા સંકલ્પના, સમૂહકાર્ય, પ્રજ્ઞા સાહિત્ય, વર્ગખંડ વિભાજન, વર્ગખંડ વ્યવસ્થાપન, અભ્યાસકાર્ડ, ટી.એલ.એમ. ભૌતિક સુવિધાના અભાવ વચ્ચે અભિગમ મુજબ શિક્ષણ કાર્ય વગેરે જેવી બાબતો પર ચર્ચા કરી મૂંઝવતી સમસ્યાઓ હલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
![]() |
પ્રજ્ઞા માર્ગદર્શન મિટિંગ સી.આર.સી. તરખંડા |
તા.૦૩.૦૭.૨૦૧૮ નો રોજ બાયસેગ મારફતે નવીન પ્રજ્ઞા અભિગમ અંતર્ગત આયોજન અને અમલવારી બાબતે ટેલીકોન્ફરન્સમાં સમજાવેલ મુદ્દા અને ધ્યાનમાં રાખવાની બાબતો પણ જણાવવામાં આવી, ઉપરાંત તે મુજબ ક્લસ્ટર લેવલે શાળા મુલાકાત દરમિયાન ભરવામાંં આવતા વર્ગખંડ અવલોકન ફોર્મ અને તેમાં આવરી લીધેલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવી.
No comments:
Post a Comment