સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Wednesday, 30 January 2019

નિદાન કસોટી તાલીમ

                    આજ રોજ તરખંડા સી.આર.સી. ખાતે જીસીઇઆરટી અને શિક્ષણવિભાગ આયોજિત ધોરણ-2 નિદાન કસોટી લેવાની હોય તે બાબતની ટેલીકોન્ફરન્સ આધારિત તાલીમ યોજવામાં આવી. 

                    આ તાલીમમાં સી.આર.સી. સમાવિષ્ટ 12 શાળાઓના ધોરણ ૩ માં ગણિત અને ગુજરાતી ભણાવતા વિષયશિક્ષકો હાજર રહ્યા. આ સાથી મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ હતું. તાલીમ દરમિયાન બાયસેગ સ્ટુડિયોમાં હાજર શ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ (અભ્યાસક્રમ કો.ઓ. જીસીઇઆરટી) દ્વારા નિદાન કસોટી સંંકલ્પના વિશે અને મહત્વ વિશે સમજ અને માર્ગદર્શન આપ્યું. ૩૧.૦૧.૨૦૧૯ અને ૦૧.૦૨.૨૦૧૯ દરમિયાન લેવાનાર કસોટી ની સંપૂર્ણ રૂપરેખા અને પૂરા દિવસની કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ  સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા વિવિધ ઉદાહરણ સાથે નિદાન અને ઉપચાર તેમજ ઝડપી શીખતા બાળકો અને ધીમી ગતિએ શીખતા બાળકો વિશે અને બાળકોની ક્ષમતા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવા માટે જણાવ્યું. સાથે વાંચન -લેખન-ગણન કૌશલ્યોની ખીલવણી કરવા અને સાચી નિદાન પ્રકૃયા વિશે સમજ આપી.  

                     માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણની સ્થિતી અને કરવામાં આવતા વિવિધ પ્રયત્નો વિશે ચર્ચા કરવામાં આવી સાથે હજુ આગળ વધવા અને સુધારાત્મક કામગીરી બતાવવા માટે બનતા પ્રયત્નો કરવા હાકલ કરવામાં આવી.  રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દ્વારા માનનીય વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા ૨.૦ કાર્યક્રમના અંશોની યાદ કરી વિવિધ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. નિદાન અને ઉપચારની ખરી રીતો વિશે માર્ગદર્શન આપ્યું.  સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી ભારતી મેડમ દ્વારા શિક્ષણમાં ચાલતા વિવિધ સુધારાત્મક કાર્યક્રમો અને યોજનાઓ વિ સમજ આપી શાળા કક્ષાએ અને ગુજરાત શિક્ષણ ટીમ સાથે સંકલનમાં રહી  કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન કર્યું.  ઉપરાંત એમ.આઇ.એસ એસ.એસ.એ. આસીફભાઇ દ્વારા નિદાન કસોતી બાદની ઓનલાઇન ડેટા એન્ટ્રી પ્રક્રિયાની સમજ આપવામાં આવી. અંતમાં વોટ્સએપ માધ્યયમથી મૂંંઝવતા પ્રશ્નો મેળવી તેનો સંતોષકરક પ્રત્યુતર પણ આપવામાં આવ્યો. આમ ૧૧.૦૦ થી ૧૩.૦૦ સુધીની બાયસેગ મારફતે તાલીમ પૂર્ણ કરવામાંં આવી.    

No comments:

Post a Comment