
પંચમહાલ જિલ્લાના હાલોલ બી.આર.સી. સમાવિષ્ટ તરખંડાા સી.આર.સી. ખાતે જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞા શિક્ષકો માટે અભિગમ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમનો મુખ્ય હાર્દ અભિગમ અંગેની સ્પષ્ટતા અને તે મુજબની કાર્યપ્રણાલી હતો.

બી.આર.સી. ભવન હાલોલ તરફથી તાલીમ વર્ગોની ફાળવણી કરવામાં આવી. જેમાં ત્રણ તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હાલોલ ખાતે ફતેપુરી,તરખંડા,રામેશરા, જેપુરા, મોટા ચાડવા ખાતે તાલીમ સ્થળ નક્કી કરવામાં આવ્યા. અને તાલીમ એક્સપોઝર (તાલુકાની શ્રેષ્ઠ પ્રજ્ઞા શાળા તરીકે તરખંડા, નાના જેપુરા, રામેશરા, ફતેપુરી, મોટા ચાડવા) શાળા ખાતે પસંદગી કરવામાં આવી.
પ્રથમ તબક્કો તા.17.01.2019 થી 18.01.2019 તરખંડા સી.આર સી.
બીજો તબક્કો તા.21.01.2019 થી 22.01.2019 તરખંડા સી.આર સી.
ત્રીજો તબક્કો તા.23.01.2019 થી 24.01.2019 રામેશરા સી.આર સી.

જેમાં મારી ભૂમિકા એક પ્રજ્ઞા અભિગમ તાલીમ ના માસ્ટર ટ્રેનર અને વર્ગનિયામક તરીકેની હતી. જેમાં સી.આર.સી. કો.ઓ. ઘનસરમુવાડી શ્રી જે.ડી.પુવાર સાથે રહીને તરખંડા ખાતેના બે તબક્કાની તાલીમ આપી. ત્યારબાદ ત્રીજા તબક્કામાં રામેશરા ખાતે રામેશરા સી.આર.સી.કો.ઓ.શ્રી કૌશિકભાઇ ભાભોર(વર્ગ નિયામક) સાથે મારા સાથી મિત્ર શ્રી રાજેશકુમાર કે બારીઆ માસ્ટર ટ્રેનર અને સી.આર.સી.કો.ઓ.વાંકડીયા સાથે રહી તાલીમ ફરજ અદા કરી.

તાલીમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સિનિયર લેક્ચરર અને હાલોલ તાલુકા લાયઝન ઓફિસર શ્રી બી.અએમ.સોલંકી સાહેબનો ખૂબજ અને હકારાત્મક સપોર્ટ રહ્યો. તેમણે પૂરો સમય હાજરી આપી. જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી. સાથે હાલોલ બી.આર.સે. કો.ઓ.શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબની પૂરા સમયની મુલાકતો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા.
પ્રથમ તબક્કામાં 22 બીજા તબક્કામાં 38 અને ત્રીજા તબક્કામાં 24 જેટલા પ્રજ્ઞા શિક્ષકોએ તાલીમ લીધી અને પોતાના તાલીમ અને તજજ્ઞો અંગેના હકારાત્મક અભિપ્રાયો પણ આપ્યા. તાલીમ દરમિયાન પ્રજ્ઞા વર્ગની મુલાકાત લેવામાં આવી. અને તે આધારે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી.
No comments:
Post a Comment